કિર્ગિસ્તાનમાં 3 પાકિસ્તાની વિદ્યાર્થીઓ સાથે મારામારી: સ્થાનિકો વિદ્યાર્થીઓ વિદેશી વિદ્યાર્થીઓથી નારાજ, ભારતના વિદેશમંત્રી એસ જયશંકરે આપ્યું નિવેદન
- 18 May, 2024
કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં સ્થાનિક અને વિદેશી વિદ્યાર્થીઓની વચ્ચે મારામારી થવાના સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાન મીડિયામાં ચાલી રહેલા અહેવાલો મુજબ, આ ઘટનામાં ત્રણ પાકિસ્તાની વિદ્યાર્થીઓના મૃત્યું થયા છે. પાકિસ્તાની વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેમને પોતાના દેશના દૂતવાસમાંથી કોઈ જ મદદ મળી નથી. કિર્ગિસ્તાની મીડિયામાં ચાલી રહેલા સમાચારો મુજબ 13 મેના રોજ કિર્ગિજ વિદ્યાર્થીઓ અને ઈજિપ્તના મેડિકલ વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીનો એક વીડિયો ઈન્ટરનેટ પર શેર થયા પછીથી આ મામલાએ જોર પકડ્યું છે અને સ્થાનિક વિદ્યાર્થીઓએ વિદેશી વિદ્યાર્થીઓને ટાર્ગેટ બનાવવાનું શરૂ કર્યું છે.
ભારતીય દૂતાવાસે પોતાના વિદ્યાર્થીઓ માટે એક એડવાઈઝરી બહાર પાડી છે. કિર્ગિસ્તાન સ્થિત ભારતીય દૂતાવાસે એક્સ પર એક પોસ્ટ લખી અને કહ્યું અમે પોતાના વિદ્યાર્થીોના સંપર્કમાં છે. સ્થિતિ હાલ શાંત છે. જોકે વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે પોતાના ઘરની અંદર જ રહો અને કોઈ પણ સમસ્યા થવા પર દૂતાવાસનો સંપર્ક કરો. અમારો 24x7 સંપર્ક નંબર 0555710041 છે. વિદેશ મંત્રી એસ જયશંકરે એક્સ પર લખ્યું કે હું હાલ બિશ્કેકમાં ભારતીય વિદ્યાર્થીઓની સ્થિતિની દેખરેખ રાખી રહ્યો છું, હાલ શાંતિ હોવાનું કહેવાઈ રહ્યું છે. વિદ્યાર્થીઓને દૂતાવાસની સાથે નિયમિત સંપર્કમાં રહેવાની સલાહ છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ